Dongreji Maharaj

Dongreji Maharaj Katha download is now available. Please read the instructions below carefully. All files are in .7z zip format. Each file is compressed and has the extension of .7z - please uncompress to get MP4 for each episode. Please make sure to read the Comparision.ods file - it describes each episode. We are still working on sequencing, and will keep updating this file with more information.


Santram Mandir (Video files - .mp4 format)

Katha part information (Comparision.ods - You can open the file with LibreOffice)

Part-1, Part-2, Part-3, Part-4, Part-5, Part-6, VCD-001, VCD-002, VCD-003, VCD-004, VCD-005, VCD-006, VCD-007, VCD-008, VCD-009, VCD-010, VCD-011-Last-Episode, VCD-012, VCD-013, VCD-014, VCD-015, VCD-016, VCD-017, VCD-018, VCD-019, VCD-020, VCD-021, VCD-022, VCD-023, VCD-024, VCD-025, VCD-026, VCD-027, VCD-028, VCD-029, VCD-030, VCD-031, VCD-032, VCD-033, VCD-034, VCD-035, VCD-036 VCD-037, VCD-038, VCD-039, VCD-040, VCD-041, VCD-042, VCD-043, VCD-044


Santram Mandir (Audio files - .mp3 format)

Part-1, Part-2, Part-3, Part-4, Part-5, Part-6, VCD-001, VCD-002, VCD-003, VCD-004, VCD-005, VCD-006, VCD-007, VCD-008, VCD-009, VCD-010, VCD-011, VCD-012, VCD-013, VCD-014, VCD-015, VCD-016, VCD-017, VCD-018, VCD-019, VCD-020, VCD-021, VCD-022, VCD-023, VCD-024, VCD-025, VCD-026, VCD-027, VCD-028, VCD-029, VCD-030, VCD-031, VCD-032, VCD-033, VCD-034, VCD-035, VCD-036, VCD-037, VCD-038, VCD-039, VCD-040, VCD-041, VCD-042, VCD-043, VCD-044


Exerpt from Shrimad Bhagwat katha by Dongreji Maharaj

।। શ્રી ગણેશાય નમઃ ।।
।। શ્રી સરસ્વત્યૈ નમઃ ।।
।। શ્રી ગુરુભ્યો નમઃ ।।
।। ઓમ નમો ભગવતે વાસુદેવાય ।।
પરમાત્મા શ્રીકૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. શ્રીકૃષ્ણ દર્શન માનવ શરીરમાં જ થાય છે. માનવેત્તર કોઇને પણ ભગવાનના દર્શન થતાં નથી. માનવને જ પ્રભુએ શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. માનવ શક્તિનો ઉપયોગ બુદ્ધિનો ઉપયોગ કેવલ પૈસા માટે સંસાર સુખ માટે ન કરે. શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ જે ભગવાનના માટે કરે. તેને મરતાં પહેલાં જ ભગવાનના દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલાં દેવ આપણા કરતાં બહુ જ સુખ ભોગવે છે. દેવો અતિ સુખ તો ભોગવે છે, દેવોને શાંતિ મળતી નથી. અતિ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ અનેક વાર એવું સમજે છે મને પૈસા મળે, મારો બંગલો થાય, સ્ત્રી મળે, પુત્ર થાય હું સુખી થઇશ. માનવની કલ્પના બરાબર નથી. કેવલ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. સંસારનો એક નિયમ છે કે અતિ સુખ ભોગવે છે એની ઇચ્છા હોય કે ન હોય એણે દુઃખ ભોગવવું જ પડશે. સુખના પાછળ દુઃખ ઉભુ જ છે. સુખ અને દુઃખ બે સગા ભાઇઓ છે. દુઃખની સમાપ્તિ શ્રીકૃષ્ણ દર્શનથી થાય છે.

આ સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. સંસારમાં સુખ છે શાંતિ નથી. આ જીવ જ્યારે ઇશ્વરથી અલગ થયો જીવાત્માએ ભગવાનને કહ્યું મારે હવે સંસારમાં ફરવું છે. આપણે બધા એક દિવસ એવો હતો ભગવાનના ચરણમાં હતાં. ભગવાન સાથે જ આપણે રહેતાં હતાં. આ જીવની કંઇ બુદ્ધિ બગડી અને ભગવાનને છોડીને જગતમાં રખડવાની ઇચ્છા થઇ. જ્યારે જીવ ભગવાનને છોડીને જગતમાં જવા લાગ્યો ત્યારે ભગવાનની પણ આંખો ભીની થઇ. મારો અંશ છે. મારો બાળક છે. હવે એને મારી પાસે રહેવું ગમતું નથી. મને છોડીને જાય છે. પ્રભુએ કહ્યું કે બેટા, તું મને છોડીને જાય છે. ભલે જા, યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ના આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં. સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. રાજાને શાંતિ નહીં, રંકને શાંતિ નહીં. રાજા રાજમહેલમાં સુખ ભોગવે છે એને તમે પૂછો તમારું મન શાંત રહે છે. મન અતિ ચંચળ રહે છે અને તેથી જ સિદ્ધ થાય છે શાંતિ નથી. પ્રભુએ સંસારમાં જાણીને જ અશાંતિ રાખી છે.